Friday, April 25, 2025

જન્મ લો તો ફી આપો, મરો તો પણ દંડ ભરો: જામનગર પાલિકા બન્યું લૂટ મંડળ!

જન્મ અને મરણ પર પણ ટેક્સ? સરકાર હવે શ્વાસ પર પણ વસુલાત કરશે શું?"



જામનગર મહાનગરપાલિકા દ્વારા 1 મે 2025થી લાગુ થનારા નવા દરોએ નાગરિકોની નારાજગીનો ધમાકો, લોકો તંત્ર પર ભડકી ઉઠ્યા


જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને ‘સૂચિત’ કરવામાં આવ્યું છે કે હવે જન્મ અને મરણ જેવી પ્રાથમિક નોંધણીઓ પણ કાગળના સરકારી કરચૂકડા અને વધારેલા દરોને લીધે સામાન્ય નાગરિક માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ઘોષિત નોટિફિકેશન મુજબ દરોમાં મોટો વધારો કરવામાં આવ્યો છે — જેને ઘણા લોકોએ “લૂંટની લાઈસન્સ” ગણાવ્યું છે.

નવા ‘ફી’ દરો: જનતાની ખિસ્સા પર ચાબૂકા

નોંધ શોધવા માટે પણ હવે રૂ. 20


પ્રમાણપત્રની નકલ (એક નકલ): રૂ. 50


મોડા નોંધ માટે લેઇટ ફી 21થી 30 દિવસ: રૂ. 20


30 દિવસથી 1 વર્ષ સુધી મોડું થાય તો: રૂ. 50


1 વર્ષથી વધુ મોડું થાય તો ન્યાયલયના હુકમ સાથે રૂ. 100


આ અર્થમાં હવે કોઇ ગરીબ અથવા ગ્રામ્ય વિસ્તારનો નાગરિક સમયસર નોંધણી ન કરાવે તો તેની સામે પ્રશાસન “દંડ” સ્વરૂપે રકમ ઉઘરાવે છે.

જનતાનો રોષઃ “જન્મ-મરણ પણ હવે ભાડે!”
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, "આ તો જાહેર જનતાની સમસ્યાઓને વધારવાનો નવો ષડયંત્ર છે. એક બાજુ રોજગાર નથી, મોંઘવારી વધી રહી છે અને બીજી બાજુ લોકોના જન્મ અને મૃત્યુ પર પણ ચાર્જ વસૂલવાનો ધંધો શરૂ કર્યો છે."

અંદાજે હજારો એવા નાગરિકો છે જેમને કાયદાકીય જાણકારી ઓછી છે, જેમને મોડું નોંધ કરાવવું પડે છે. હવે તેઓ માટે નકામી પેપરસી, મોંઘી ફી અને મજુરથી પડતી ન્યાયલય પ્રક્રિયા—all in the name of “system improvement.”

તંત્રના ઉદાસીન વલણ સામે સવાલો: શું જન્મ અને મરણ જેવી મૂળભૂત સેવાઓ પર પણ સરકાર કમાણી કરવા માંગે છે? શું "જનસેવા" હવે માત્ર કાગળ પર રહી ગઈ છે?

નિષ્કર્ષઃ
જ્યાં સુધી તંત્ર સામાન્ય નાગરિક માટે કામ કરવાનું ભૂલી જશે અને દરેક સેવા માટે ફીનું ટેમ્પલેટ ઘડી કાઢશે, ત્યાં સુધી લોકો અને તંત્ર વચ્ચેનો વિશ્વાસ હંમેશ માટે તૂટતો જશે.


જામનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૨૬ કિશોરીઓને HPV રસી વિનામૂલ્યે આપવામાં આવી


નવા નાગના આયુષ્માન મંદિર ખાતે કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ શિબિર યોજાઈ


જામનગર તા.૨૫ એપ્રિલ, જામનગર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નવા નાગના ખાતે આરોગ્ય વિભાગ અને જામનગર કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કિશોરીઓ માટે સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુના નાગના અને નવા નાગના ગામની કિશોરીઓ અને તેમના માતા-પિતાને બોલાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા JCIRના સહયોગથી ૨૬ કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી એચ.પી.વી. રસી આપવામાં આવી હતી. 

આ શિબિરમાં શાળાએ ન જતી અને કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધો હોય તેવી કિશોરીઓને સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ વિષે વિગતવાર પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સરએ સ્ત્રીઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર છે. સર્વાઇકલ કેન્સરનું સૌથી સામાન્ય કારણ હ્યુમન પેપીલોમાં વાઇરસ (HPV) છે. ૧૦ થી ૨૦ વર્ષની કિશોરીઓને રસી આપ્યા બાદ ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા ૯૮% ઘટી જાય છે.

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...