Wednesday, March 30, 2022

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફિટનેસ કેમ્પનું આયોજન

 જામનગર તા. ૩૦ માર્ચ, જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફિટનેસ ઇન્સપેકશનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અનુસાર આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તા.૧૨/૦૪/૨૦૨૨ના રોજ, તા.૧૧/૦૪/૨૦૨૨ના રોજ કાલાવડ ખાતે જી.ઇ.બી. ઓફીસ સામે, વાવડી રોડ, તા.૧૩/૦૪/૨૦૨૨ના રોજ લાલપુર તેમજ જામજોધપુર ખાતે વાહનોનો ફિટનેશ ઇન્સ્પેકશન કેમ્પ યોજાશે.

ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમજ પી.યુ.સી. ઓનલાઇન કઢાવેલ હશે તે વાહનનું જ ફિટનેસ કરી આપવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.


No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...