Monday, May 15, 2023

તીર્થક્ષેત્ર દ્વારકા જેના કિનારે વસેલું છે : પવિત્ર ગોમતીજી

નિર્મળ ગંગા - ગોમતી, માટે માછલડાની ગેલ, બ્રાહ્મણ ઊભા કાલે કરતા ધરમનો ટેલ, ઘાટે ઘાટે તેઓએ મલક મલક ના લોક પુણ્ય પરબના સ્નાનથી પરિવતર થઈ રાચતાં.  કલ્યાણરાય જોશી.

વૈદિક સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે. મા એટલે રપોપાર, પવિત્ર કરનાર, જીવનમાં શુદ્ધિ આપનાર, તેથી જ આપણી ઋષિ પરંપરાએ આપણાં તીર્થધામોની પસંદગી નદીઓના કિનારે જ કરી છે. બીજી રીતે કહીએ તો આપણાં પવિત્ર તીર્થઘામો તે. નદીઓને કિનારે જ વસેલાં છે. આવું જ એક પવિત્ર તીર્થ એટલે પુણ્ય પાવન નગરી દ્વારિકા જે ગોમતી નદીના કિનારા ઉપર વસેલું છે. દ્વારકાધામની દક્ષિણ તરફ ગૌમતી નદી આવેલી છે, જેનું મૂળ દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર આવેલ નાના ભાવડા ગામની નજીક છે. તેથી જ આ સ્થળ મૂળ ગોમતા તરીકે ઓળખાય છે. જ્યાં પૂ.મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે.


દ્વારકા પધારતા દરેક તીર્થં યાંત્રિકે પ્રથમ ગોમતી નદીમાં સ્નાન કરવાનું હોય છે. જેથી તેના જીવનના દરેક પાપને મા ગોમતી ધોઈ નાખે છે અને તેનું જીવન પવિત્ર થાય છે. તેથી ગોમતી સ્નાન કર્યા પછી તથા યથામતિ યથાશક્તિ દાન કરવાનો મહિમા છે. ખાસ તો અહીં તુલાદાન થાય છે જે યાત્રિક પોતાની શક્તિ મુજબ કરી શકે છે. ગોમતી સ્નાન કર્યા પછી છાન સીડીના રસ્તે સ્વર્ગદ્વારથી અંદર પ્રવેશ કરી ભગવાનશ્રી દ્વારકાધીશજીના દર્શન થાય છે. આ ગોમતી ને વશિષ્ઠનતયા એટલે કે ઋષિ વશિષ્ઠની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઋષિએ તેમના લગ્ન સમુદ્ર સાથે કરાવેલ છે તેથી અહીં ગોમતીનો સમુદ્ર સાથે સંગમ થાય છે. તેથી અહીં સ્નાન કરવાથી ત્રણ-ત્રણ પુણ્ય પ્રાપ્ત થાય છે. એક તો પવિત્ર નદીમાં સ્નાન કરવાનું, બીજું પવિત્ર સંગમ સ્થાન કરવાનું અને ત્રીજું સમુદ્ર સ્નાન કરવાનું. આ ગોમતી રનાનનો અનેરો મહિમા છે.


ગોમતી માતાને રોજ સાંજે ૬:૩૦ વાગ્યે જલસ્વરૂપમાં ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે ગુગ્ગલી જ્ઞાતિ સંસ્થા આયોજિત ગુગલી બ્રાહમણો સમૂહમાં આસ્તી જ્યોત ઉત્સવ કરે છે. અને ત્યારબાદ સાત વાગ્યે ગોમતી કિનારે ગોમતી માતાનાં મૂર્તિ સ્વરૂપ મંદિરમાં આરતી થાય છે. આ બન્ને ક્રમ જળવાયા બાદ ૭:૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના સંધ્યા આરતીના દર્શન થાય છે. ગોમતી કિનારે આવેલાં પ્રાચીન મંદિરોમાં સંગમ નારાયણનું મંદિર, રામેશ્વર મહાદેવનું મંદિર, નૃસિંહજીનું મંદિર, પાંચ પાંડવની દહેરીઓ, હાટકેશ્વર મહાદેવ મંદિર વગેરે મંદિરો આવેલાં છે, અહીં પણ મહાપ્રભુજીની બેઠક આવેલી છે, સમગ્ર પ્રાચીન ગોમતી નદી પર આવેલ જુદા જુદા ઘાટ કે તદ્દન જિર્ણ સ્થિતિમાં હતા તેનો જર્ણોધ્ધાર એક દાયકા પહેલાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ છે, જેને પરિણામે દ્વારકા ગોમતી સ્નાન કરતા લાખો યાત્રિકો માટે એક સુંદર સુવિધા ઉપલબ્ધ થઈ છે,



ગોમતી નદીના મહાત્મ્ય અંગે ભિન્ન ભિન માન્યતાઓ પ્રચલિત છે. ગોમતી તટે શ્રાધ્ધ, સંકલ્પ અને સ્નાનનો અનેરો મહિમા છે. ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો યાત્રિકો ઉમટી પડે છે. તેવી જ રીતે દરેક પૂર્ણિમા (પૂનમ)ના દિવસે ગોમતી સ્નાનનો મહિમાં છે, સ્કંદ પૂરાણમાં થયેલાં ઉલ્લેખ મુજબ બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી સ્વયં ગોમતી નામ ધારણ કરીને દ્વારકામાં પ્રગટ થયા છે. દ્વારકામાં ગોમતી કાંઠે આવેલો બ્રહ્મકુંડ પણ તે માન્યતાને પુષ્ટિ આપે છે. હાલમાં પણ આ બ્રહ્મકુંડમાં બ્રહ્માજીની મૂર્તિ પૂજાય છે,



ગોમતી મહાત્મય મુજબ ગોમતી સ્નાન કરતા પહેલાં ચોખા, તુલસીનું પાન અને શ્રીફળથી ગોમતીજીની પૂજાવિધિ થઇ શકે છે. બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત ઉચ્ચારણો સાથે અથવા તીર્થગોરની આજ્ઞા મુજબ સંકલ્પ ભાવિકો લેતાં હોય છે. અહિં તીર્થગોર અથવા બ્રાહ્મણો શ્રાધ્ધ વિધિ કરાવે છે, અહિં શ્રાધ્ધ વિધિ કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને પિતૃમોક્ષ થાય છે, તેવી માન્યતા છે. ગોમતી નદી પર સામે કાંઠે આવેલા પંચનદતીર્થમાં મરીચી ઋષિએ ગંગા ગોમતી, અત્રિ ઋષિએ લક્ષ્મણા, અંગિરાએ ચંદ્રભાગા, પૂલકે એ કુશાવર્તી તથા ભૃગુઋષિએ ગંગાની આરાધના કરીને પંચનદતીર્થની સ્થાપના કરી હોવાની માન્યતા છે, ગોમતી સ્નાનના સંકલ્પના શ્લોકમાં દ્વારકાના પ્રાચીન નામો તથા ક્ષેત્રોનો ઉલ્લેખ મળે છે. ભારતવર્ષના ભરતખંડમાં જમ્બુ દ્વિપ, સૌરાષ્ટ્ર, આનર્તક ક્ષેત્ર, ઉપામંડળ, ચંપકવન ત્રિવિક્રમ ક્ષેત્ર, કુશસ્થલી વિગેરે પ્રાચીન નામો ગોમતી સ્નાનના સંકલ્પ શ્લોકમાં આવરી લેવાયા છે. આ પવિત્ર ગોમતીજીના મહાત્મયના કારણે જ કોલવા ભગત, મીરાબાઈ, કબીર, ભક્ત બોડાણા, નરસિંહ મહેતા અને પીપા ભગત જેવા સમર્પિત મતો પણ ગોમતી સ્નાન કરીને દ્વારકાધીશના દર્શને ગયા હોવાની અલગ અલગ ક્થાઓ પ્રચલિત છે,



દ્વારકાના રાજા હોવા છતાં શ્રીકૃષ્ણે અષ્ટપટ્ટરાણીઓની વચ્ચે પણ રાધિકાનો વિરહ રહેતો હતો. અને બાળ- કિશોરાવસ્થાથી રાસલીલાઓ યાદ આવતી હતી. તેથી દ્વારકાના ગોમતી સમુદ્રના સંગમ સ્થળે તેઓ સાંજના સમયે એ મધુર યાદોને સ્મરીને થોડો સમય અતીતમાં ખોવાઈ જતા હશે, તેવી કલ્પા સાથે અહીં આવેલા સંગમ સ્થાને પણ હજારો ભાવિકો ભાવવિભોર થઈ જતાં હોય છે.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...