Thursday, August 1, 2024

જામનગર જિલ્લાના માછીમારો માટે માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

હવામાન વિભાગ, રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ આગાહી મુજબ આગામી તારીખ 03/08/2024 સુધી ખરાબ હવામાન રહેવાનું હોય અને ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેના અનુસંધાને વડી કચેરી, ગાંધીનગર દ્વારા આધારિત પત્રથી અત્રેની કચેરીએથી આપવામાં આવેલ સુચના મુજબ જ્યાં સુધી અન્ય સુચના ન મળે ત્યાં સુધી જામનગર જિલ્લાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવે છે. તેમજ માછીમારી બોટોને દરિયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન પણ ઈસ્યુ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે.

આથી અત્રેની કચેરી હસ્તકના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેથી તમામ માછીમારી બોટો, એક લકડી હોડીઓના માલિકો, પગડીયા માછીમારોને ઉકત આગાહી ધ્યાનમાં લેતા જ્યાં સુધી અન્ય સુચના ન મળે ત્યાં સુધી દરિયો ના ખેડવા માટે અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. કોઈપણ માછીમારી બોટોએ ટોકન લીધા વગર પણ માછીમારી કરવા માટે ના જવા જણાવવામાં આવે છે. 

તેમજ જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ, હોડીઓના માલિકો, આગેવાનો, પ્રમુખ, મત્સ્યોધોગ સહકારી મંડળીઓ, એસોસીએશનોના હોદેદારોને ઉપરોકત સૂચનાઓનું ગંભીરત પૂર્વક પાલન કરાવવા માટે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના વિવિધ ફિશરીઝ ગાર્ડ દ્વારા આ બાબતનું ગંભીરતપૂર્વક અમલ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...