Sunday, April 3, 2022

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિદસર ખાતે ઉમિયા માતાજીના ચરણોમાં શિશ નમાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજીના ચરણોમાં શિશ નમાવી વંદન કર્યા હતા.   ઉમિયા માતાજીના મંદિરના રજત 





જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સહભાગી  થવા ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીએ માતાજીના આશિષ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ માતાજીના ચરણોમાં શિશ નમાવી પ્રાથના કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીનું  તથા રાજ્ય મંત્રીશ્રીનું સિદસર મંદિર ટ્રસ્ટીઓ, મહાનુભાવો તથા આગેવાનોએ સન્માન કર્યું હતું.


No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...