Thursday, July 4, 2024

જામનગરમાં આગામી તા.8 જૂલાઈના આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે એપ્રેન્ટિસ જોબફેરનું આયોજન કરાશે

જામનગર તા.4 જૂલાઈ,  આઈ.ટી.આઈ.કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર ખાતે આગામી તારીખ 8 જૂલાઈના રોજ સવારે 10:30 કલાકે એપ્રેન્ટિસ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. 

તેમજ આ રોજગાર ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...