BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા
બહુજન સમાજ પાર્ટી(BSP)માં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રવિવારે બસપા સુપ્રીમો માયાવતી(BSP Chief Mayawati)એ એક મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે ભત્રીજા આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા. આકાશના સસરા અશોક સિદ્ધાર્થને હટાવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
માયાવતીએ ભાઈ આનંદ કુમાર અને રામજી ગૌતમને મોટી જવાબદારી સોંપી છે. બંનેને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે માયાવતીએ કહ્યું કે હવે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. પક્ષ અને આંદોલનના હિતમાં સંબંધોનું કોઈ મહત્વ નથી.
મહત્વની બેઠક:
બસપા સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઘણા રાજ્યોના પાર્ટી વડાઓએ ભાગ લીધો હતો. પાર્ટીના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ,પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા હાજર હતા. રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ પણ પાર્ટીની બેઠકમાં હાજર છે પરંતુ આકાશ આનંદે આ બેઠકમાં હાજરી આપી ન હતી.
No comments:
Post a Comment