Tuesday, May 19, 2020

રાજ્ય સરકારે આપી  છુટ; છતાં એસ.ટી. બસનાં પૈડા સ્તબ્ધ. 


ગુજરાત રાજ્યમાં લોકડાઉંના ચોથા  ચરણમાં સરકાર દ્વારા વેપાર ઉધોગોને નિયમોને આધિન ચાલું  કરવાની છુટછાંટ આપી છે. સરકાર દ્વારા અમદાવાદ ,સુરત જિલ્લા  સીવાયના તમામ શહેરોમાં એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં  આવસે એવું જાહેર કરવામાં આવ્યું હતું.જેથી મુસાફરો  પોતાના વતન જવા માટે એસ.ટી.બસ ડેપોએ આવી પોહચ્યાં હતા.પણ જામનગર એસ.ટી બસ સેવા હજું બંધ રાખવામાં આવેલ હતી.જેથી મુસાફરોને હાલાકી સામનો કરવો પડ્યો હતો.અને આ અંગે એસ.ટી. ના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ બસ સેવા ચાલુ કરવાના આદેશ એસ.ટી.  નિગમ માંથી મળેલ નથી. જેથી બસ સેવા બંધ રાખવામાં આવી છે.આજે સાંજ સુધીમાં બસ સેવા ચાલું કરવાનો આદેશ આવી સકે છે.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...