અખાત્રીજના શુભ દિવસે જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાનશ્રી પરશુરામજીના પ્રાગટ્ય દિન નિમિતે શહેરમાં નીકળેલ શોભાયાત્રાનું પંચેશ્વર ટાવર પાસે ભવ્યાતી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું
આ તકે વંડા ફળી મિત્ર મંડળના આમંત્રણને માન આપીને પધારેલા શ્રી વસુબેન ત્રિવેદી (પૂર્વ મંત્રીશ્રી), શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી (અગ્રણી બ્રહ્મ સમાજ), શ્રી પ્રફુલભાઇ વાસુ (પ્રમુખ બ્રહ્મ સમાજ), દક્ષભાઈ ત્રિવેદી (બ્રહ્મ સમાજના યુવા અગ્રણી), પ્રદ્યુમનભાઈ ભટ્ટ (બ્રહ્મ સમાજના અગ્રણી) મનહરભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા. આ તકે વૉર્ડ ૯ ના કોર્પોરેટર કુસુમબેન પંડ્યા (નેતા શાસક પક્ષ) કોર્પોરેટર શ્રી નિલેશભાઈ કગથરાનું વંડા ફળી મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.



No comments:
Post a Comment