Monday, June 20, 2022

જોડિયા સમસ્ત દસનામ ગૌસ્વામી સમાજના પ્રમુખશ્રી હેમતપરી મગનપરી ગૌસ્વામી દ્વારા આજ રોજ જોડિયા મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું...

કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે દશનામ સમાજની 8 વર્ષ ની  બાળકી ઉપર થયેલ બળાત્કાર હત્યાના ગુનેગાર નો કેસ ફસ્ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસી ની સજા આપવાની માગણી અંગેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. 






જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અને જોડિયા ગામના સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ તરફથી પ્રમુખશ્રી હેમતપરી મગન પરી ગૌસ્વામી દ્વારા કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે દશના સમાજની 8 વર્ષ ની માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કરવામાં આવેલ હોય.જે અનુસંધાને સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ આક્રોશ વ્યક્ત કરી અનેઆ હીંચકારી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.અને આ કૃત્ય કરનાર નરાધમ શામજી ભીમા સોલંકી ને કાયદાકીય રીતે ફાટસ્ટેક કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા થવી જોઈએ.જેથી સમાજમાં આવા નરાધમ તત્વો બીજી કોઈ બાળકી ઉપર આવો અત્યાચાર કરી શકે નહીં. અને એક ઐતિહાસિક દાખલો બેસાડવો જોઈએ.જેથી ભવિષ્યમાં આવનારા સમયમાં આવા કૃત્ય થતા અટકે.ત્યારે સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ.જામનગર જિલ્લાના જોડિયા તાલુકા તથા જોડિયા ગામના વતી આ આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અને 8 વર્ષની માસુમ બાળકીને ન્યાય અપાવવા નમ્ર અરજ છે.આ આવેદનપત્ર  પાઠવી રજુઆત કરવામાં આવી હતી.... 

રિપોર્ટર. શરદ એમ.રાવલ.. હડિયાણા 

       

Wednesday, June 15, 2022

માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા-આમરણ-જોડિયા- જાંબુડા પાટિયા રોડ મંજુર કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ

રૂ.૧૧૫ કરોડના ખર્ચે માળીયા-આમરણ-જોડિયા- જાંબુડા પાટિયા સુધીના ૩૨.૪૩ કી.મી.ના કોસ્ટલ હાઈવે રોડને મળી સૈદ્ધાંતિક મંજુરી : મંત્રીશ્રી રાઘવજી પટેલ

રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૧૫ કરોડના ખર્ચે માળીયા-આમરણ-જોડિયા- જાંબુડા પાટિયા સુધીના ૩૨.૪૩ કી.મી.ના કોસ્ટલ હાઈવે રોડને સૈદ્ધાંતિક મંજુરી મંજૂરી આપી છે.

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવેલ છે કે મારા મતવિસ્તાર જામનગર(ગ્રામ્ય) વિધાનસભાના જોડિયા અને જામનગર ગ્રામ્ય તાલુકાના જોડિયા અને જામનગર ગ્રામ્ય તાલુકાના માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો કોસ્ટલ સ્ટેટ હાઈવે ૩૨.૪૩ કી.મી.નો રોડ અંદાજીત રૂ.૧૧૫ કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.મંજુર થયેલ રોડમાં ૬.૧૦ મી માંથી ૧૦.૦૦ મી માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો રોડનું વાઈડનીંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી કરવામાં આવશે. આ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને સૂચના આપવામાં આવેલ છે.મંત્રીશ્રીએ આ મંજુર થયેલ રોડ રસ્તા માટે માર્ગ મકાન વિભાગના મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો આ તકે આભાર વ્યકત કર્યો હતો..

આ રોડ મંજુર થતા જામનગર તેમજ જોડિયા તાલુકાના સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી જોવા મળેલ છે. આ તકે મંત્રીશ્રી રાઘવજીભાઈએ માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો વિધાનસભાના મતદારો વતી પણ આભાર માનેલ છે.    


આગામી તા.22 જૂનના રોજ જોડિયા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અરજદારોએ તા.18 જૂન સુધીમાં મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે


જામનગર તા.15 જૂન સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષા સ્વાગત ફરીયાદ નિવારણ ગામડા સુધી લંબાવવા સૂચન કરેલ છે. 

તાલુકા સ્વાગત  ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.22-06-2022 બુધવારના દિવસે સવારના 11:30  કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જોડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જોડિયાના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તા.22-06-2022ના રોજ આ કાર્યક્રમ  નિયત કરવામાં આવેલ હોય આગામી તા.18 જૂન સુધીમાં અરજદારોએ અરજી મોકલી દેવાની રહેશે.

1.આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામપંચાયત તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીને અરજી કરેલ હશે અને તે નિર્ણય થયા વગરની હશે તો જ અરજી સ્વીકારવામાં આવશે. 

2.તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે. 

3.આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

4.આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.

5.આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જોડિયા તાલુકાના નાગરિકોએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો લાભ લેવા મામલતદારશ્રી  જોડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Thursday, June 9, 2022

૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના' કાર્યક્રમ અંતર્ગત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અપાયાં

લોકોની સુખાકારીનો ગ્રાફ વધુમાં વધુ ઊંચો જાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી સરકારે નાગરિકોની ચિંતા કરી છે - શ્રી બ્રિજેશભાઈ મેરજા

જામનગર તા.૦૯ જુન, શહેરના ટાઉનહોલ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી બ્રીજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરનો '૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો સ્થળ પર જ એનાયત કરી ઉપસ્થિત સૌ કોઇને કેન્દ્ર સરકારની ૧૩ થી વધુ યોજનાઓથી માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારીનો ગ્રાફ વધુમાં વધુ ઊંચો જાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વનિધી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વરોજગાર કાર્યક્રમ, જન આરોગ્ય યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિતની અનેક યોજનાઓ દેશમાં અમલી બનાવી છે. માતૃવંદના, સૂપોષણ ભારત, ઉજ્જવલા યોજના વગેરેથી સરકારે ખરા અર્થમાં "નારી તું નારાયણી"ની વિભાવનાને સાકાર કરી છે. સખીમંડળોને મુદ્રા યોજના થકી આર્થિક સહાય પૂરી પાડી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી છે. વન નેશન વન પેન્શન સ્કીમને અમલમાં મૂકી દેશના જવાનોના ભવિષ્યની ચિંતા કરી છે તો અન્ન યોજના દ્વારા ભૂખ્યા તથા ગરીબોની જઠરાગ્નિ ઠારવાનું સરકારે કામ કર્યું છે. આવાસ યોજનાના માધ્યમથી લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ ને કારણે આજે ખરા અર્થમાં 'આયુષ્માન ભારત' ચરિતાર્થ થયું છે. સરકારે સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ તથા સ્કીલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓથી યુવાઓ તથા ઉદ્યોગ સાહસિકોને વિકસીત થવા મદદ પૂરી પાડી છે તેમજ દેશના યુવાઓનું કૌશલ્યવર્ધન થાય તે માટે દરેક આઈ.ટી.આઈ માં ૪૭ જેટલા નવીન કોર્સ અભ્યાસક્રમમાં દાખલ કર્યા છે.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલ ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ઉદયભાઇ કાનગડ તથા મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ પ્રાસંગીક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓના માધ્યમથી ગરીબો, વંચિતો, શોષિતો તેમજ છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સરકાર સતત ચિંતિત છે અને તેથી જ નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી તેમનું જીવનધોરણ ઊંચું લાવવા સતત પ્રયત્નશીલ છે.

કાર્યક્રમમાં સ્ટેજ પરથી લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે પી.એમ.સ્વનિધી, પ્રધાનમંત્રીઆવાસ યોજના, કૌશલ્ય તાલીમ, સ્વરોજગાર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડે.મેયર શ્રી તપનભાઈ પરમાર, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી કનખરા, જિલ્લા કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ, મહામંત્રી સર્વશ્રી મેરામણ ભાટ્ટુ તથા શ્રી વિજયસિંહ, ડે.કમિશનર શ્રી વસ્તાણી, મહાનગર પાલિકાના કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

વાંકિયા, રામપર અને હમાપર ગામે ચેકડેમ- તળાવોનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રૂ. ૩૦.૧૩ લાખના ખર્ચે હમાપરમાં ૪ ચેકડેમ અને રામપર ગામમાં રૂ. ૧૭ લાખના ખર્ચે ૧ ચેકડેમ તેમજ ૧ તળાવનું નિર્માણ કરવામાં આવશે



જામનગર તા. ૯ જૂન, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વાંકિયા, હમાપર અને રામપર ગામે તળાવો અને ચેકડેમોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વાંકિયા ગામે છેલ્લા અનેક સમયથી અટવાયેલા રૂ. ૩૧.૬૪ લાખના વિકાસ કાર્યો આખરે મંજુર થવાથી જયારે ચેકડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે કિંમતી વરસાદી પાણીનો સંગ્રહ થતાં ખેડૂતો સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકશે.



કૃષિમંત્રીશ્રીએ વિવિધ ચેકડેમ અને તળાવોના ખાતમુહર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં નિર્માણ પામનારા આ ચેકડેમોથી વરસાદી પાણીનો સંગ્રહ ખુબ સારી રીતે થશે. જામનગર દરિયાકિનારાનો વિસ્તાર હોવાથી અહીંયા મીઠા પાણીની ખુબ અછત જોવા મળે છે, ત્યારે નિર્માણાધીન ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો તેમજ પાણીના નવા નવા સ્ત્રોત બનતા લોકોને પીવાના પાણીનો લાભ પણ મળશે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક બમણી કરવાની નેમને સાકાર કરવા કૃષિલક્ષી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જામનગરનાં ગામડાઓમાં ચેકડેમ અને તળાવોના નિર્માણ થવાથી સંગ્રહ થયેલા વરસાદી પાણીનો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે જેના પરિણામે સારો પાક થવાથી આવકમાં પણ વધારો થશે. આ ઉપરાંત, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને ખુબ ફાયદો થશે. ભારત દેશમાં અત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહ જેવા મહાન નેતાઓનું શાસન છે ત્યારે આવી વિભૂતિઓ સદીઓમાં એકવાર જ જન્મ લેતી હોય છે. 



વિવિધ ખાતમુહર્તના પ્રસંગે ઠેર-ઠેર કૃષિમંત્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.



પંચાયત સિંચાઈ વિભાગ જામનગર હેઠળ અત્યારે રૂ. ૩.૭૮ કરોડના ૪૦ જેટલા વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. ધ્રોલ તાલુકાના હમાપર ગામ ખાતે રૂ. ૩૦.૧૩ લાખના ૪ વિકાસ કાર્યો મંજુર થયા છે જે હેઠળ ૪ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવશે. ધ્રોલ તાલુકાના અન્ય ગામ વાંકિયા ખાતે રૂ. ૩૧ લાખના ખર્ચે ઊંડ નદીના કાંઠે ૧ એફ.પી. બંડ અને ૧ ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે. તેમજ જામનગર તાલુકાના રામપર ગામમાં રૂ. ૧૭ લાખના ખર્ચે ૧ ચેકડેમ અને ૧ તળાવનું નિર્માણ કરવામાં આવશે. 



આ ઉપરાંત જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના રૂ. ૩.૪૫ કરોડના કુલ ૪૨ જેટલા વિકાસ કાર્યોની મંજૂરીની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે. તેમજ પંચાયત સિંચાઈ વિભાગ જામનગર હેઠળ રૂ. ૮.૮૨ કરોડના હાલ ૧૧૦ જેટલા વિકાસ કાર્યો ટેન્ડર સ્ટેજ હેઠળ છે. 

હમાપર ગામના ખાતમુહર્ત પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટભાઈ, હમાપર ગામના સરપંચ શ્રી લક્ષ્મીબેન રાઠોડ, માજી સરપંચ શ્રી કેશુભાઈ શિયાર, ઉપ સરપંચ શ્રી ભગતભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાવનાબેન શિયાર, શ્રી બીજલભાઈ મંઠ ઉપસ્થિત રહયા હતા. જયારે વાંકિયા અને રામપર ગામના ખાતમુહર્ત પ્રસંગે સરપંચ શ્રી રમેશભાઈ, ધ્રોલ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી જેન્તીભાઇ કગથરા, શ્રી દેવકરણભાઈ, શ્રી પ્રભુલાલભાઇ, શ્રી ભરતભાઈ, શ્રી ભીમજીભાઈ મકવાણા, શ્રી અરવિંદભાઈ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 


Wednesday, June 1, 2022

જામનગરમા બ્રાસપાર્ટના વેપારીઓને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષ મળી કુલ બે વર્ષની કોર્ટે સજા ફટકારી

 જામનગરની કોર્ટમાં ૪૯ લાખના ચેક રિટર્નની તેમજ ૧૧ લાખના ચેક રિટર્નની ફરિયાદ દાખલ થઈ હતી આ બન્ને કેસમાં

આરોપીઓને એક-એક વર્ષની સજા મળી કુલ બે વર્ષની સજા અને બમણી રકમ રૂ. ૧.૨૦ કરોડનો દંડ ફટકારાયો

ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા. ૦૧: જામનગરમાં એક ફરિયાદ ૪૯ લાખના ચેક રિટર્નની તેમજ બીજી સજા અને રૂ ૮૯ લાખ તથા ૧૧લાખ બંને ચેકની બ્રાસપાર્ટના વેપારીઓને ચેક રિટર્નના બેક્સમાં એક-કરિયાદ ૧૧ લાખના ચેક રિટર્નની હતી. સામે બમણી ૨કમ કુલ ૧.૨૦ કરોડનો દંડ ફટકાર્યો એક વર્ષ મળી કુલ બે વર્ષની કોર્ટે સજા ફટકારી છે. તેમજ રૂપિયા ૪૯ લાખના અને ૧૧ લાખના ચેકની રકમ સામે બમણી રકમ રૂપિયા ૧.૨૦ કોડનો દંડ પણ બન્ને આરોપીઓને ટારણ્યો છે.

આ કેસની વીગત જોઈએ તો જામનગરમાં રાજદીપ ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પી લાવતા રાજેશ ગોરધનભાઈ નંદાએ જામનગરમાં ધૈર્ય ઓવરસીસ નામની ભાગીદાર પેદી ચલાવતા ભાગીદારો કેતુલ દિનેશભાઈ ચાંગાણી અને અંક્તિ દિનેશભાઈ ચાંગાણી સામે જામનગરની કોર્ટમાં બે અલગ- અલગ ચેક રિટર્ન અન્વયની ફરિયાદોદાખલ કરીહતી. જેમાંની

આ બંને ફરિયાદીના ચેકો અંગે ફરિયાદીએ છે. જામનગરની સિવિલ કોર્ટમાં સમરી દાવા પણ કર્યા હતા. ઉપરોક્ત બંને ફરિયાદો અન્વયે લાંબી કાનૂની લડાઈ બંને પક્ષો તરફથી લડવામાં આવી હતી. ત્યારે આજરોજ નામદાર કોર્ટ ફરિયાદી પક્ષની પૂર્વકની દલીલો અને ફરિયાદીના વકીલે રજુ કરેલા કાનૂની ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇને ફરિયાદીની ફરિયાદ સાબિત થયાનું માની બંને આરોપીઓ તુલ દિનેશભાઇ માંગણી તથા અંકિત દિનેશભાઈ ચાંગાણીને તકસીરવાન ઠેરવી સજા કરમાવી હતી. બંને કેસમાં આરોપીઓને એક એક વર્ષની સજામી લખવર્ષની

સિવિલ કોર્ટમાં પણ નામદાર કોર્ટે ફરિયાદીની હકીકત ધ્યાને લઈને સમટીકાવો પણ રાજેશ ગોરધનલાલ નંદાની તરફેણમાં મંજૂર કર્યો છે. જામનગરની કોર્ટમાં ઘણા લાંબા સમયથી ચાલી રહેલી આલડતા કાનૂની દાવપેચનો આજરોજ અંત આવ્યો હોય અને રૂપિયા ૧.૨૦ કરોડનો દંડ આરોપીને ટકારાયો હોય આ કેસ ની ખુબ ચર્ચા ચાલી હતી. આ કામે ફરિયાદી થતી જામનગરના જાણીતા વકીલ હેમલભાઈ ચોટાઈ તથા વી.એચ.બક્ષી રોકાયેલા હતાં.




યાત્રાધામ દ્વારકા મા પંચવિર ની યાદ મા દર શનિવારે હનુમાન ચાલીસા સમસ્ત હિન્દુ સેના દ્વારા સરુ કરાય

આ.સ.૧૨૪૧ સવંત ૧૨૯૭ માં અમદાવાદથી મોહમ્મદ શા દ્વારકાધીશનું 
મંદિર તોડી ગયા ત્યારે રાણા ઠાકર પરિવારના પાંચ ગૂગળી બ્રાહ્મણો

આજ પંચ વિર ની જગ્યાઓ પર વિધર્મી ઓ કેમ? દ્વારકાધીશ નું મંદિર મહમદ 
શા દ્વારા તોડવામાં આવ્યુ ત્યારે ગુગળી બ્રાહ્મણ ૫૦૫  પાંચ ના વીરોની લડત

(૧) વીરજી ઠાકર (૨) નથુ ઠાકર (૩) કરસન ઠાકર (૪) વાલજી ઠાકર (૫) તેમજ દેવજી ઠાકર
આ પાંચ વીરો દ્વારા મોહમ્મદ શા ની સામે જોરદાર લડત કરી ભગવાન દ્વારકાધીશના મંદિર ની રક્ષા કાજે વીર ગતી પામી ગયા તે વીરો ની સમાધી મંદિર થી નજીક નીલકંઠ ચોક પાસે આવેલ એક પીપળાના વૃક્ષ નીચે આ સમાધિઓ આવેલી છે મુસ્લિમ  લોકો તેમને પાંચ પીર તરીકે ફેરવી નાખેલ  છે 
રાણા ઠાકોર પરિવારના જે પાંચ ભાઈઓ વીરગતિ પામ્યા તેમની ઘરવાળી બયો  ગંગાબાઈ કેસર બાઈ મુલી બાઈ કસ્તુરબાઈ અને સોની બાઇ સવંત ૧૨૯૭ ના કારતક વદ ૧૩ ને બુધવારના સતી થયા આ સતીના પાળિયાઓ ગોમતી ઘાટ પર આવેલા છે
જે હાલમાં પાંચ પાંડવની દેરી તરીકે ઓળખાવી રહ્યા છે 
આજ કોણ આપણા સનાતન સંસ્કૃતિના તમામ ઉત્સવમાં આ વીરોને યાદ કરવામાં આવે છે
નવરાત્રી વિસર્જન નો ગરબો પણ નગર પરિક્રમા કરતાં આ સ્થળ પર પહોંચે ત્યારે વીરુ ની સમાધી ને ગરબાની પવિત્ર જ્યોતના દર્શન કરાવવામાં આવે છે
હાલમાં રક્ષાબંધન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત પર્વ પર પાંચ ગુગળી બ્રાહ્મણ વીરો તથા તેના એક બેન ની ખાંભી ને પીતાંબર તેમજ ચુંદડી ચડાવવી પરંપરા અનુસાર પૂજન કરવામાં આવેછે
(પૂરક માહિતી દ્વારકા સર્વ સંગ્રહ ગુજરાત રાજ્ય છઠ્ઠી ઇતિહાસ પરિષદ દ્વારકા પુસ્તકમાંથી સાભાર)






એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...